ઈતિહાસ
વાઘરી શબ્દ ની લોકિક વ્યુંત્પ્તિ(અર્થ)
વાઘ + અરી એટલે કે વાઘનો દુશ્મન થાય છે. સૈકાઓ પહેલા દેવીપુજક વાઘ જેવા હિંસક પ્રાણી ઓંનો શિકાર કરતા. પહેલા માનવજાતને જંગલી હિંસક પશુ ઓનો ભય હતો તે સમયે દેવીપુજક સમાજ ના લોકો હિંસક પ્રાણી શિકાર કરતા અને ગામ નું રક્ષણ કરતા. સમાજ માં તેમનું સ્થાન પણ ઊંચું હતું. ગામ ના રક્ષણ હેતુ તેઓ ગામની બહાર જ પોતાનો વસવાટ કરતા.દેવી ભાગવત અને હિંદુ ધર્મગ્રથો માં ઉલ્લેખ છે કે માં આદ્યાશક્તિ જગદમ્બા દેવીએ પોતાના તેજ અને શક્તિ તેમજ આયુધો અર્પણ કર્યા ત્યારે એક અગ્નિ તેજ ગોળાના સ્વરૂપમાં દેવી પ્રગટ થયા જેમને અશુરોનો સંહાર કર્યો આ અગ્નિ સ્વરૂપા દેવીપ ઉપાસક એટલે દેવીપુજક
દેવીપુજક જ્ઞાતિના ઈતિહાસ મુજબ જ્ઞાતિના પૂર્વજો નદી કિનારે રહેતા હતા અને ખેતર વાડી નું રખોપું કરતા હતા હાલ જ્ઞાતિ ના લોકો રોજગાર મેળવવા ગુજરાત ઉપરાંત દિલ્હી ,મુંબઈ ,કલકત્તા ,આસામ ,બિહાર,ગોઆ ,હિમાચલ ,બેંગ્લોર તેમજ દેશ ના અન્ય પ્રાંતો માં ફેલાયા છે.