|
|
ઊઠો વીરા દેવીપૂજકો રે...
___________________________________
(ઢાળ: સૂના સમદંર ની પાળ રે...)
ઊઠો વીરા દેવીપૂજકો રે...
સુણી લેજો મીઠો ઠપકો રે
જ્ઞાતિમાતાજી કૂખ ન લજાવાતા બેઠા થાજો રે
ઊઠો વીરા દેવીપૂજકો રે...
સહ્યા બહું દુઃખડા સહ્યા રે
હે વેઠયાં બહું સંતાપો વેઠયાં રે
મને હવે યુદ્ધ ની વાટે ઘોડલા જોડો રે
ઊઠો વીરા દેવીપૂજકો રે...
આવે છોને સંકટો સામા રે
હે આવે છોને સંકટો સામા રે
ભેળા થૈ રણની વાટે ખેલશું ખાંડા રે
ઊઠો વીરા દેવીપૂજકો રે...
લેજો વીરા જ્ઞાનની વાતું રે
હે લેજો વીરા ભણતરની વાતું રે
પિતા ની ફુલાવી રાખજો છાતી રે...
ઊઠો વીરા દેવીપૂજકો રે...
જો જો વીરા! હૈંયુ ના ભાગે રે
કાયર તારો જીવ ન ડગે રે...
માંગે કોઈ આંગળી તારી,તો પૂરો હાથ દેજો રે
ઊઠો વીરા દેવીપૂજકો રે...
રોઠણાનાં ગાણા તજીને રે
હે રોઠણાનાં ગાણા તજીને રે
વીર સપૂત કોઈ રણયોદ્ધાના ગાજે ગીતો રે
ઊઠો વીરા દેવીપૂજકો રે...
જીવ જે તું નાતગંગામાં રે
હે મરજે તું નાતગંગામાં રે
કહેતો રહેજે આ સંદેશડો સહુને મારો રે...
ઊઠો વીરા દેવીપૂજકો રે...
કવિ: શાર્દૂલ તળપદા
___________________________________
(ઢાળ: સૂના સમદંર ની પાળ રે...)
ઊઠો વીરા દેવીપૂજકો રે...
સુણી લેજો મીઠો ઠપકો રે
જ્ઞાતિમાતાજી કૂખ ન લજાવાતા બેઠા થાજો રે
ઊઠો વીરા દેવીપૂજકો રે...
સહ્યા બહું દુઃખડા સહ્યા રે
હે વેઠયાં બહું સંતાપો વેઠયાં રે
મને હવે યુદ્ધ ની વાટે ઘોડલા જોડો રે
ઊઠો વીરા દેવીપૂજકો રે...
આવે છોને સંકટો સામા રે
હે આવે છોને સંકટો સામા રે
ભેળા થૈ રણની વાટે ખેલશું ખાંડા રે
ઊઠો વીરા દેવીપૂજકો રે...
લેજો વીરા જ્ઞાનની વાતું રે
હે લેજો વીરા ભણતરની વાતું રે
પિતા ની ફુલાવી રાખજો છાતી રે...
ઊઠો વીરા દેવીપૂજકો રે...
જો જો વીરા! હૈંયુ ના ભાગે રે
કાયર તારો જીવ ન ડગે રે...
માંગે કોઈ આંગળી તારી,તો પૂરો હાથ દેજો રે
ઊઠો વીરા દેવીપૂજકો રે...
રોઠણાનાં ગાણા તજીને રે
હે રોઠણાનાં ગાણા તજીને રે
વીર સપૂત કોઈ રણયોદ્ધાના ગાજે ગીતો રે
ઊઠો વીરા દેવીપૂજકો રે...
જીવ જે તું નાતગંગામાં રે
હે મરજે તું નાતગંગામાં રે
કહેતો રહેજે આ સંદેશડો સહુને મારો રે...
ઊઠો વીરા દેવીપૂજકો રે...
કવિ: શાર્દૂલ તળપદા
ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત થયેલ વિગત મુજબ દેવીપુજક(વાઘરી) સમાજના લોકોને તિરસ્કૃત કરવા અને સામાન્ય વાતચીતમાં પણ કોઈ વ્યક્તિ પત્યે ધ્રુણા અણગમા બતાવવા માટે 'વાઘરા ' શબ્દ નો પ્રયોગ કરવામાં આવતો હતો. આથી દેવીપુજક સમાજના લોકોમાં સ્વમાન ઘવાવાની લાગણી દુર થાય અને દુઃખ ભર્યો અંજપો ન વર્તાય માટે ગુજરાત સરકારના સામજિક ન્યાય અને અધિકાર વિભાગ દ્વારા ઠરાવ કરીને ઠરાવ ક્રમાંક : સ્ન્શપ - 112001 મં - 148 અ.તા. 1/9/2001 થી "દેવીપુજક" ઓળખ આપેલ છે.